ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં શુક્રવારે વીજકાપ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં 11 કે.વી. વિનાયક ફીડરમાં સમારકામ કરવાનું હોવાથી શુક્રવાર તારીખ 11 ના રોજ અહીંના અશોક મિલ કમ્પાઉન્ડ, હરસિદ્ધિ નગર, સલાયા રોડ, જીઆઇડીસી, વ્યાસ પરોઠા હાઉસ વિસ્તારમાં સવારે 8:30 થી બપોરે 2 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલની એક યાદીમાં જણાવાયું છે.