વધુ બે માછીમારી બોટનું અપહરણ કરતું પાકિસ્તાન મરીન

છેલ્લા દસ દિવસમાં 6 બોટ અને 40 માછીમારોને અપહરણ

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : પાક મરીન એજન્સી દ્વારા આઈએમબીએલ નજીકથી આજે વધુ બે બોટ અને 12 માછીમારોના અપહરણ કરી લેવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા નાપાક હરકત કરી આજે બે બોટ અને માછીમારોનું આઈએમબીએલ નજીકથી અપહરણ કરી લેવામાં આવતા માછીમારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુમાં અપહરણ કરવામાં આવેલી બન્ને બોટ ઓખા પંથકની હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં પાક મરીન એજન્સી દ્વારા 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવતા સૌરાષ્ટ્રના માછીમારોમા ભયનું લખલખું પ્રસરી ગયું છે.