દ્વારકા શાળાના આચાર્યને કવિ કલાપી સાહિત્ય કલા એવોર્ડ

દ્વારકા : અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતનો 25માં વર્ષમાં પ્રવેશ થતા રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દ્વારકાની ડીએનપી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય મીનાક્ષીબેન ઠાકરને શ્રેષ્ઠ સમાજ સેવક તરીકે “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાતના 25માં વર્ષમાં પ્રવેશ કરતા રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ મહોત્સવમાં ગુજરાતના ખ્યાતનામ ફિલ્મી કલાકારો અને સમાજ સેવકોને “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં દ્વારકાની ડીએનપી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય મીનાક્ષીબેન ઠાકરને શ્રેષ્ઠ સમાજ સેવક તરીકે “કવિ કલાપી સાહિત્ય કલા” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.