ભાણવડ નિવાસી શૈલેષભાઇ વસરામભાઈ પતાણીનું અવસાન

દ્વારકા : ભાણવડ નિવાસી સ્વ.ગોરધનદાસ વશરામભાઇ પતાણીના પુત્ર શૈલેશભાઈ (ઉ.58) તે અરવિંદભાઈ, હેમેન્દ્રભાઈ, પ્રફૂલાબેન બદીયાણી, હીનાબેન રાજાણીના ભાઇ તથા નીરલભાઈ તથા હાર્દિકભાઈના કાકા તેમજ સ્વ. હરિદાસ કરશનદાસ ગોકાણી ( ખંભાળિયા)ના જમાઈનું તા.8ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.10 ને ગુરૂવારે સાંજે 4થી 4.30 કલાકે શ્રી સુખનાથ મહાદેવ મંદિરે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે ( પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે)