ખંભાળિયા : જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વીનરને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા સેલના કન્વીનર તરીકે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા ખંભાળિયાના પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યની વરણી કરવામાં આવી હતી. આ વરણીને આવકારી, સલાયા ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા તેમનું ફુલહાર તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.