દ્વારકા જિલ્લામાં કોરોનાથી બે મોત : 14 નવા દર્દીઓ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં કોરોના સંક્રમણમાં ઉતાર ચડાવ વચ્ચે આજે દ્વારકા અને કલ્યાણપુરમાં એક – એક દર્દીના મૃત્યુ નિપજયા હતા. આજે જિલ્લામાં નવા 14 પોઝિટિવ દર્દી નોંધાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ કલ્યાણપુરના છ, દ્વારકાના ચાર, ભાણવડના ત્રણ અને ખંભાળિયાના એક મળી કુલ 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 735 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજે જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં એક-એક કોરોના સંક્રમિત મૃત્યુ પામ્યા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.