ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનો માટે વિનામૂલ્યે વેવિશાળ કેન્દ્રની આવકારદાયક સેવા પ્રવૃતિ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ જ્ઞાતિજનો માટેનું વેવિશાળ કેન્દ્ર અવિરત રીતે કાર્યરત છે. આ કેન્દ્રમાં અહીંના પીઢ રઘુવંશી કાર્યકર નાનુભાઈ દાવડા સાથે જ્ઞાતિના અન્ય કાર્યકરો નોંધપાત્ર જહેમત સાથે સેવાઓ આપી રહ્યા છે.

અત્રે જૂની લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા ઘણા સમયથી કાર્યરત આ લોહાણા વેવિશાળ કેન્દ્રની ખાસ શુભેચ્છા મુલાકાતે સુરેન્દ્રનગર રઘુવીર વેવિશાળ કેન્દ્રના નરેન્દ્રભાઈ પુજારા તેમજ રાજકોટ લોહાણા પ્રગતિ મંડળના નરેન્દ્રભાઈ તન્ના, બ્રિજેશભાઈ, ગીરીશભાઈ ઉપરાંત જામનગરના પંચમતીયાભાઈ સહિતના આગેવાનો-કાર્યકરો આવ્યા હતા. આ આગેવાનોએ અહીંના વેવિશાળ કેન્દ્રની સેવા પ્રવૃત્તિને બિરદાવી, શુભેચ્છાઓ પાઠવી હતી.

રઘુવંશી જ્ઞાતિના લગ્નોત્સુક યુવક યુવતીના માતા-પિતાએ આ વેવિશાળ કેન્દ્રનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.