ઓખા ખોડીયાર જયંતિ નિમિતે જુના મંદિરે ધાર્મિક ઉત્સવો ઉજવાયા

(રીશી રૂપારેલિયા)
ઓખા :ઓખામાં ખોડીયાર જયંતિ નિમિતે ખોડીયાર માતાજીનાં જુના સ્થાન મંદિરે ધાર્મિક ઉત્સવો ઉજવાયા હતા.બાળાઓએ ખોડીયાર માઁ અને તેની બહેનોનો વેશ ધારણ કરી ધાર્મિક ભાવે ઉજવણી કરી હતી.

ખોડીયાર જયંતિ નિમિતે ઓખામાં ખોડીયાર માંતાજીનાં જુના સ્થાન મંદિરે ધાર્મિક ઉત્સવો ઉજવાયા હતા.જેમાં પંચકુંડી યજ્ઞ ઉપરાંત મહાઆરતી,નૈવેદ્ય અને પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું હતું.ખોડીયાર માઁ અને તેની બહેનો એમ સાત બેનડીઓનો બાળાઓ દ્વારા વેશ ધારણ કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. માઈ-ભકતોએ આ ધાર્મિક પ્રસંગે દર્શનનો લાભ લઈ પુણ્યનું ભાથ્થું બાંધ્યું હતું.