દ્વારકાનો યુવક સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ

દ્વારકા : દ્વારકાના ભૂદેવ અગ્રણી નરસિંહભાઈ ભોગયતાનો પુત્ર દેવર્ષિ ભોગયતાએ પ્રથમ પ્રયાસે સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ થયો છે.દેવર્ષિ ભોગયતાએ અથાગ મહેનત કરી સીએની પરીક્ષા પાસ કરી છે.દેવર્ષિ આમ જ સફળતાની સીડી ચડતો રહે અને દ્વારકા તેમજ તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવી તેમના પરિવારે શુભેચ્છા પાઠવી હતી.