સુરજકરાડી ખાતે કાલે સોમવારે નેત્ર નિદાન કેમ્પ

દ્વારકા : દ્વારકાના સૂરજકરાડી ખાતે આવતીકાલે સોમવારે શીતલા યુવક મંડળ દ્વારા રાજકોટના રણછોડદાસજી મહારાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સ્ટેટ બેન્ક સામે શીતલા માતાજી મંદિર યુવક મંડળ કાર્યાલય ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નેત્ર નિદાન કેમ્પમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે જેથી આ કેમ્પનો લાભ લેવા યુવક મંડળના પ્રમુખ હરપાલસિંહ પોલાભા માણેકની યાદીમાં જણાવાયું છે.