રાહત: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ નહીં

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાનો આજે એકપણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લાના તમામ તાલુકામાં આજે 0 પોઝીટીવ કેસ વચ્ચે દ્વારકાના ત્રણ અને ખંભાળિયાના એક મળી ચાર દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 807 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે આજે એક પણ નવો કેસ નોંધાતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.