દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના પાંચ નવા દર્દીઓ વચ્ચે એકનું મોત

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના ચાર તથા ખંભાળિયા તાલુકાનો એક મળી, કુલ પાંચ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે કલ્યાણપુરના સાત તથા દ્વારકા તથા ભાણવડના ત્રણ- ત્રણ અને ખંભાળિયાના એક સહિત કુલ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે. ખંભાળિયાના એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું આજની આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.