જામ ખંભાળિયા : દમયંતીબેન મથુરાદાસ કાનાણીનું અવસાન

જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણી (સામોર વારા) ના ધર્મપત્નિ ગં.સ્વ. દમયંતીબેન મથુરાદાસ કાનાણી (ઉ.વ. 75) તે નારણદાસભાઈ તથા કનુભાઈના ભાભી તેમજ બીપીનભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ, મયુરભાઈ તથા રશ્મિબેન રસીકભાઈ વીઠ્ઠલાણી અને મૃદુલાબેન સુરેશભાઈ કોટેચાના માતુશ્રી તેમજ મિત, ફેનિલ, ધારા, શુભ, પુષ્ટિ, ક્રિશા અને શ્રીયાના દાદીમાં તેમજ સ્વ. હરિદાસ દેવજીભાઈ મોરઝરીયાના પુત્રી તા. 13 મી ના રોજ અમેરિકા (યુ.એસ.) ખાતે શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની સાદડી ગુરૂવાર તારીખ 17 મી ના રોજ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે ચારથી પાંચ સુધી રાખવામાં આવેલ છે.