દ્વારકા જિલ્લામાં કોરોનાના છ નવા દર્દીઓ: બે સ્વસ્થ થયા

(કુંજન રાડિયા)

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ખંભાળિયા તાલુકાના સૌથી વધુ ચાર અને દ્વારકા તથા ભાણવડ તાલુકામાં એક- એક કોરોના સંક્રમિત દર્દી નોંધાયો છે. જ્યારે બે દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાની આશંકા જતા કુલ 854 લોકોના કોવિડ ટેસ્ટ કરાયા હતા.