દ્વારકાના ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત

બન્નેએ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ : છ મહિના પૂર્વે જ યુવતીના લગ્ન થયાનું બહાર આવ્યું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા યુવાન અને યુવતીએ ધ્રાસલવેલ વાડી વિસ્તારમાં સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકાના આવળપરામાં રહેતા હિરેન ભોડાભાઈ મોરી અને જશુંબેન (પિતા) બાબુભાઈ નાગેશ નામની યુવતીએ ગત મોડીરાત્રે દ્વારકા તાલુકાના ધ્રાસલવેલ ગામના વાડી વિસ્તાર ઝેરી દવા ગટગટાવી લેતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવક અને યુવતી એક જ સમાજના હોવાનું અને યુવતીના લગ્ન છ માસ પહેલા થઈ ગયાં હતાં પરંતુ આણું વારવાનું બાકી હતું એટલે સાસરે નહિ પરંતુ પોતાના પિતાનાં ઘરે રહેતી હતી.વધુમાં ગામના યુવાન સાથે પ્રેમ સંબંધ થઈ જતાં ગત મોડી રાત્રે દ્વારકા તાલુકાના ધ્રાસલવેલ ગામના વાડી વિસ્તાર બન્નેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.