પાક મરીન દ્વારા વધુ ત્રણ બોટ સાથે 18 માછીમારોના અપહરણ

ગુરુવારે મોડીરાત્રે બનેલી ઘટના : બે બોટ ઓખાની અને એક પોરબંદરની

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : પાક મરીને ભારતીય જળ સીમા નજીકથી વધુ ત્રણ બોટ સાથે 18 માછીમારોના અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ભારતીય જળ સીમા નજીકથી પાક મરીન દ્વારા ત્રણ બોટ સાથે 18 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વધુમાં ગુરૂવારે મોડીરાત્રે પાક મરીને માછીમારોના અપહરણ કર્યાનું ખુલ્યું છે.

દરમિયાન અપહરણ કરાયેલ બે બોટ ઓખાની અને એક બોટ પોરબંદરની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાક મરીન દ્વારા 10થી વધુ બોટ અને 60 જેટલા માછીમારોને ઉઠાવી જવાયા છે.