દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા કેસમાં ઉછાળો: 8 દર્દીઓ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 13 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે જેમાં કલ્યાણપુરમાં 3 દ્વારકા અને ભાણવડમાં 2-2 તથા ખંભાળિયામાં 1 દર્દી નોંધાયો છે. જ્યારે દ્વારકાના સાત, ભાણવડના ચાર અને ખંભાળિયાના બે દર્દી મળી કુલ 13 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. 24 કલાક દરમિયાન કોરોનાના 597 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.