મીઠાપુર ટાટા કંપનીના કર્મચારીને શ્રમ ભૂષણ પુરસ્કાર

(રીશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ગામના જૈન સમાજના અગ્રણી તેમજ ટાટા કંપનીમાં નોકરી કરતા પારસભાઇ એન.શાહને વર્ષ 2020-2021ના વર્ષ દરમ્યાન ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અંગેની વિશીષ્ટ કામગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રમભુષણ પુરસ્કારથી સન્માનિત કરી ગાંધીનગર ખાતે રૂપીયા ૧૫૦૦૦નો રોકઙ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.