(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો ત્વરિત સંતોષકારક નિકાલ કરવા અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્યાર બાદ સંકલન અને ફરિયાદ સમિતિમાં લોકો તરફથી મળેલી અરજીઓનો નિકાલ, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલ અરજીઓ, પેન્શન કેશ, અવેઇટ કેઇસ, સરકારી લ્હેણાની વસુલાત, વિગેરેના પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની દ્વારા વાંચન કરી, ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અહીંના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, ડી.આર.ડી.એ.ના નિયામક ભાવેશ ખેર સહિત સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.