કોરોના મુક્તિ તરફ દ્વારકા જિલ્લો : નવો એક પણ કેસ ન નોંધાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સતત ઘટતા જતા કેસો વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધુ રહે છે. આ વચ્ચે આજરોજ રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 237 કોરોના ટેસ્ટમાં તમામ ચાર તાલુકાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જો કે આજે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા પણ શૂન્ય રહી છે. આ જોતાં આગામી દિવસોમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી વગર દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બની રહે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.