(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સતત ઘટતા જતા કેસો વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધુ રહે છે. આ વચ્ચે આજરોજ રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 237 કોરોના ટેસ્ટમાં તમામ ચાર તાલુકાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જો કે આજે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા પણ શૂન્ય રહી છે. આ જોતાં આગામી દિવસોમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી વગર દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બની રહે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
- Advertisement -
Trending Article
ખંભાળિયામાં વૃદ્ધાની કિંમતી જમીન પચાવી પાડનાર બે ભત્રીજાઓ સામે લેન્ડ ગ્રેબિંગ
પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ તત્કાળ કાર્યવાહી કરી બન્નેને દબોચી લીધા (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે એક ગરીબ વૃદ્ધાની ખેતીની જમીન ગેરકાયદેસર...
ભાણવડમાં હનીટ્રેપ : યુવતીને સાથે રાખી ચીટર ગેંગ દ્વારા રૂપિયા 23 હજાર પડાવી લેવાયા
પોલીસની ઓળખ આપી નાણાં ખંખેરનાર આરોપીઓને ઝડપી લેતી એસ.ઓ.જી. પોલીસ (કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તાજેતરમાં એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી, યુવતી...
ખંભાળિયાના પાદરમાં મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા
પાલિકાની કામગીરી સામે ગૌસેવકોમાં રોષ (કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યુ થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં...