દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ કોરોના શૂન્ય

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે તમામ ચાર તાલુકાઓમાં કોરોના નો એકપણ નવો કેસ નોંધાયો નથી. સતત બીજા દિવસે કોરોનાના શૂન્ય ફિગર વચ્ચે 6 દર્દીઓને સ્વસ્થ જાહેર કરાયા છે. એક દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 639 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.