(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે.એમ. જાની દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.16 માર્ચ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો સામે મનાઇ કરવવામાં આવી છે.
શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્ત્રો અને ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્ય, તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેકી શકય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેકવા કે ધકેલવાના યત્રો સાથે લઈ જવા ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.