જલારામબાપાની પુણ્યતિથિ નિમિતે સલાયામાં છપ્પન ભોગ ધરાશે

સલાયા જલારામ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

(રિશી રૂપારેલિયા) જામ ખંભાળિયા : સલાયા જલારામ મંદિરે જલારામબાપાની પુણ્યતિથી નિમિત્તે જલારામબાપાને છપ્પન ભોગ,અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવશે.તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સલાયાના લોહાણા સમાજના અગ્રણી દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું છે.

સલાયા જલારામ બાપાના મંદિરે આગામી તા.26ના રોજ જલારામ બાપાની 141મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિરે જલારામબાપાને છપ્પન ભોગ,અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવશે.સલાયાના લોહાણા સમાજના અગ્રણી દિલીપભાઈ કેશવજીભાઇ તન્ના તથા તેમના પુત્ર લાલજીભાઈ ભૂવા(સલાયા શહેર ભાજપ મહામંત્રી)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી જલારામ મંદિરે સાંજે 4 થી 7 કલાકે છપ્પન ભોગ,અન્નકૂટ તેમજ ધ્વજા આરોહણ અને જલારામ બાપાના નવા વસ્ત્રો પધરાવવાના ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે.આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને આયોજક પરિવાર તરફથી આમત્રંણ આપવામાં આવ્યું છે.