દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ કોરોના ઝીરો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર ભારત સાથે ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે ઘટી રહ્યું છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સપ્તાહ દરમિયાન કોરોનાના નવા કેસોમાં વિરામ રહ્યો છે. આજે ગુરુવારે પણ જિલ્લાના ચાર પૈકી એકપણ તાલુકામાં કોરોનાનો નવો એકેય દર્દી નોંધાયો નથી. આ વચ્ચે દ્વારકાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. 24 કલાક દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના 629 ટેસ્ટ કર્યા હતા.