ખંભાળિયાના સલાયામાં આવતીકાલે જલારામ બાપાની પુણ્યતિથીની થશે ભાવભરી ઉજવણી

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અનેકવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

પુજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ પ્રસંગે સલાયા ખાતે આવેલા જલારામ મંદિરે આવતીકાલે શનિવારે સાંજે ચારથી સાત વાગ્યા દરમિયાન છપ્પન ભોગ તથા અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાઆરતી તેમજ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું પણ આયોજન સલાયાના અગ્રણી દિલીપભાઈ કેશવજીભાઈ તન્ના તથા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા- અશ્વિનભાઈ તન્નાના સહયોગથી કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.