મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ ટ્રેન વધારાના કોચ લાગશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જોડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09521/09522 રાજકોટ – સોમનાથ – રાજકોટ, ટ્રેન નંબર 09514/09513 રાજકોટ-વેરાવળ-રાજકોટ અને ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર માં 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રેલવે તંત્ર દ્વારા ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કાયમી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે. જે મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.