ખંભાળિયામાં આવતીકાલે રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન

સત્વ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબો સેવા આપશે

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તથા અહીંની જાણીતી સત્વ હોસ્પિટલ દ્વારા રવિવાર તારીખ 27 ના રોજ વિનામૂલ્યે વિવિધ પ્રકારના રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી સત્વ હોસ્પિટલમાં આવતીકાલે રવિવારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ નિદાન કેમ્પમાં હાડકાને લગતા તમામ દર્દોનું નિદાન મુંબઈના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડોક્ટર રાજેશ બદિયાણી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગ અંગે જરૂરી નિદાન એમ.ડી. ફિઝિશિયન ડોક્ટર જસ્વિન વાળા દ્વારા કરવામાં આવશે. આ સાથે જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર કુશલ કપાસી પણ ઉપસ્થિત રહી, દર્દીઓનું નિદાન કરશે.

આ કેમ્પનો લાભ લેવા રેડક્રોસ સોસાયટીના ડીસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા તથા સત્વ હોસ્પિટલ વતી રાહુલભાઈ વ્યાસ દ્વારા અપીલ કરવામાં આવી છે.