રાવલના હોમગાર્ડઝ ઓફિસરની નિવૃત્તિ પ્રસંગે આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે વર્ષોથી હોમગાર્ડઝ કમાન્ડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા તથા જામરાવલ ગામની હાઇસ્કુલના ગ્રંથપાલ ઉપરાંત રાવલ વિસ્તારમાં રક્તદાન મારફતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા યોગેશભાઈ જોશી તાજેતરમાં હોમગાર્ડઝ વિભાગમાંથી નિવૃત્ત થતાં આ પ્રસંગે આવતીકાલે રવિવારે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી જામ રાવલ ખાતે આવેલી તુલસીભાઈ હાથીની વાડી ખાતે રક્તદાન મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન મારફતે સેવા પ્રવૃત્તિમાં સહભાગી થવા આસપાસના રહીશોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.