પૂજ્ય જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથિની દ્વારકામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

(રીશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના જલારામ મંદિરે ખાતે આજે પૂજ્ય જલારામ બાપાની ૧૪૧મી પુણ્યતિથિની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા આવી હતી. આજના દિવસે પૂ. જલારામ બાપાની અભિષેક પૂજા પ્રતાપભાઈ ધોકાઇ દ્વારા કરવામાં આવી હતી તેમજ સવારે ધ્વજા પૂજન યજમાન જલારામ મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા થયેલ અને બપોરે સાધુનો ભંડારો તથા બ્રહ્મ ભોજન અને કુંવારકા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.