દ્વારકાધીશ મંદિરેથી ખોવાયેલી ત્રણ વર્ષની બાળકીને શોધી કાઢતી પોલીસ

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દ્વારકાધીશ મંદિરે આજે દર્શન કરવા આવેલા પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુમ થઈ હોય જેને સુરક્ષા પોલીસે શોધી કાઢી હતી.

આજે જગતમંદિરે સોમાતભાઈ માણસુરભાઈ બાલધિયા પોતાની નાની દીકરી અને પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હોય જ્યાં મંદિરની આસપાસથી આ દીકરી ગુમ થઇ ગઇ હતી. જેથી સોમાતભાઈએ તાત્કાલિક મંદિરની સુરક્ષામાં ગોઠવાયેલ પોલીસ સ્ટાફનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટાફે તુરત જ આ નાની બાળકીની શોધખોળ આદરી ગણતરીની કલાકોમાં દીકરી માહેશ્વરીને મંદિરના પૂર્વ દરવાજા પાસેથી શોધી તેના માતા-પિતાને સોંપી હતી. પરિવારજનોએ આ તકે પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.

આ કામગીરીમાં મંદિર સુરક્ષા પોલીસ એ.એસ.આઇ અજીતસિંહ જાડેજા, એચ.સી. પૃથ્વીરાજ ડોડીયા,પી.સી. મહેશભાઈ અણીયારીયા, દેવસ્થાન સિક્યુરિટીના ભીખુભા,મહિલા પોલીસ કંચનબેન તથા રેખાબેન સાથે જોડાયેલા હતા.