દ્વારકામાં એકાદશી નિમિતે ભક્ત દ્વારા ચાંદીની સામગ્રીનું દાન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજ એકાદશી હોવાથી આજનો દિવસ દાન કરવા માટે પવિત્ર દિવસ ગણાય છે.આજના દિવસે લોકો પોતાની શક્તિ-ભક્તિ મુજબ દાન કરતા હોય છે.એ જ રીતે ભગવાન દ્વારકાધીશના ભક્તે દ્વારકા મંદિરમાં ચાંદીની સામગ્રી દાન કરી હતી.

આજે પવિત્ર એકાદશીના રોજ દાનનો મહિમા અનેરો છે.જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત પરિવાર દ્વારા ચાંદીની ગોલ્ડ પ્લેટેડ સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.દેવસ્થાન સમિતિને ભગવાનના આયુધ એવા શંખ ચક્ર ગદા પદ્મ અર્પણ કરાયા હતા.