ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરાઈ

રઘુવંશી જ્ઞાતિજનોએ લીધો સમૂહપ્રસાદ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ ખંભાળિયામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મિત્ર મંડળ તેમજ જ્ઞાતિની સંસ્થાઓ દ્વારા ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાના પૂજન-અર્ચન તથા આ પ્રસંગે શનિવારે રાત્રે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન અત્રે વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ માટે જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો સાથે કાર્યકર ભાઈઓ-બહેનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી, આયોજનને સફળ બનાવ્યું હતું. જે બદલ લોહાણા મિત્ર મંડળની ટીમ દ્વારા લોહાણા મહાજન તેમજ અન્ય સંસ્થાઓ તથા કાર્યકરોનો જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.