દ્વારકાના સુરજકરાડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીમાં શિશુ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભાજપના પુરવઠા મંત્રીએ કેમ્પની મુલાકાત લીધી હતી.

દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીમાં શિશુ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું કેતનભાઇ દેવુભાઈ ડોડીયાના સ્મરણાર્થે આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં આશરે ૧૧૧ જેટલી બોટલ દાન કરવામાં આવ્યું હતું તથા ભાજપના પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પણ આ બ્લડ ડોનેશન કેમ્પની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.