કોંગ્રેસની ચિંતન શિબિરમાં અર્જુન મોઢવાડિયાએ પબુભા વિરુદ્ધ ઘસાતું બોલતા મુસ્લિમ સમાજ નારાજ

રૂપેણ બંદર ખાતેના મુસ્લિમ અગ્રણીઓએ કેસરિયો ખેસ પહેર્યો

(રિશી રૂપારેલીયા) દ્વારકા : દ્વારકા ખાતે યોજાયેલ કોંગ્રેસની ચિંતન શિબિરમાં અર્જુન મોઢવાડિયાએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિશે ઘસાતું બોલી તેમની સરખામણી લતીફ સાથે કરતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે અને રૂપેણ બંદરના મુસ્લિમ અગ્રણીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

દ્વારકા ખાતે આયોજિત ચિંતન શિબિરમાં કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની સરખામણી ડોન લતીફ સાથે કરી ઘસાતું બોલતા મુસ્લિમ સમુદાયમાં રોષ વ્યાપી ગયો છે.

અર્જુન મોઢવાડીયાના સભા સ્થાનેથી આવા નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને રૂપેણ બંદર ખાતેના મુસ્લિમ આગેવાનો દ્વારા કેસરિયો ખેસ ધારણ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હોવાનું જાણવા મળે છે.