ચિંતન શિબિરથી ચિંતા ! કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખનું પદ ઉપરથી રાજીનામુ

(રિશી રૂપારેલીયા) દ્વારકા : દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં અર્જુન મોઢવાડીયાએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વિરુદ્ધ કરેલા આક્ષેપો બાદ મુસ્લિમ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તેવા સમયે જ કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અચાનક પદ ઉપરથી રાજીનામુ ધરી દેતા ચકચાર જાગી છે.

દ્વારકા ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ ત્રી દિવસીય ચિંતન શિબિર બાદ કોંગ્રેસ મજબૂત થવાને બદલે વિખેરાઈ રહી હોય તેવા સંકેતો વચ્ચે ગઈકાલે રૂપેણ બંદરના મુસ્લિમ સમાજ દ્વારા કેસરિયા ખેસ ધારણ કરાયા બાદ આજે કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજાભાઈ રાણાભાઇ પોસ્તરીયાએ પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે. જો કે તેઓએ રાજીનામાં પત્રમાં કોઈ રાજીનામુ શા માટે આપી રહ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.