ખંભાળિયા પંથકના શિવમંદિરોના નૂતન ધ્વજારોહણ કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજરોજ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના જુદા જુદા શિવ મંદિરોમાં નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સલાયા શહેર ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધ શિવ મંદિરોના શિખર પર નુતન ધ્વજારોહણ કરી, શિવ આરાધના કરવામાં આવી હતી.