ખંભાળિયાના જાણીતા તબીબ ડો. રાયઠઠ્ઠાને લોહાણા મહાપરિષદમાં સ્થાન અપાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા તબીબ ડોક્ટર નિલેશભાઈ જી. રાયઠઠ્ઠાને રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આ સંસ્થાની સ્થાયી સમિતિની શાખા આરોગ્ય સમિતિના સૌરાષ્ટ્ર (2) ઝોનના કોર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખંભાળિયા આઈ.એમ.એ.ના ટ્રેઝરર તરીકે તરીકે કાર્યરત ડોક્ટર નિલેશભાઈ રાયઠઠ્ઠા વિવિધ સંસ્થાના દાતા સદગૃહસ્થ તેમજ સેવાભાવી કાર્યકર તરીકે શહેરમાં આગળ પડતું નામ અને સ્થાન ધરાવે છે. તેમની આ વરણીને મહા પરિષદના હોદ્દેદારો ઉપરાંત ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો તેમજ શુભેચ્છકો દ્વારા આવકારીને શુભકામનાઓ પાઠવવામાં આવી છે

.