11મી માર્ચની જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ ટ્રેન નાગરકોઈલ ટાઉન સુધી જશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દક્ષિણ રેલવે દ્વારા અરાલવાયમોલી-વલ્લીયુર સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે, ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ 11મી માર્ચના રોજ જામનગરથી રવાના થઈને તિરુનલવેલીને બદલે નાગરકોઈલ સ્ટેશન સુધી જશે. આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં વલ્લીયુર અને તિરુનલવેલીનો સમાવેશ થાય છે. ટ્રેન ના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફની એક યાદીમાં જણાવાયું છે.