જગતમંદિરમાં બે ભક્ત પરિવારો દ્વારા દ્વારકાધીશને સુવર્ણ અને ચાંદીની ધ્વજા અર્પણ

(રિશી રૂપારેલિયા દ્વારા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આવેલા જગતમંદિરમાં બે ભક્ત પરિવારો દ્વારા શ્રી દ્વારકાધીશને સુવર્ણ અને ચાંદીની ધ્વજા અર્પણ કરવામાં આવી હતી.

દ્વારકા જગતમંદિરમાં ગઈકાલે તા. 4ના રોજ એક પરમ ભક્ત દ્વારા શ્રી દ્વારકાધીશને સુવર્ણની ધ્વજાનું પ્રતિક અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 8.5 ગ્રામ સોનાની ધ્વજા શ્રીજીને ધરવામાં આવી હતી. તેમજ શ્રી દ્વારકાધીશજીના અન્ય પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને ચાંદીની ધ્વજાનુ પ્રતીક અર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં અંદાજે 7.4 ગ્રામ ચાંદીની ધ્વજા ધરવામાં આવી હતી.