ખંભાળિયાના યુવા કાર્યકરની લોહાણા મહાપરિષદમાં વરણી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વેપારી કપિલભાઈ દત્તાણીની વરણી શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર (2) ઝોનના હાલાર રિજિયનના યુવા મંત્રી તરીકે કરવામાં આવી છે.

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને વેપારી મંડળના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીના પુત્ર કપિલ દત્તાણી જ્ઞાતિની વિવિધ સંસ્થા તેમજ ગૌ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા કપિલ દત્તાણીની કરવામાં આવેલી આ વરણીને જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો તથા યુવાનોએ આવકારી તેમને શુભકામનાઓ પાઠવી છે.