ખંભાળિયામાં આવતીકાલે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના પીઢ અને સેવાભાવી રઘુવંશી સદગૃહસ્થ સ્વ. હરિદાસ વિઠ્ઠલદાસ મપારા પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 6 ના રોજ રાત્રે 9 વાગે જડેશ્વર સોસાયટી ખાતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અહીંના જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના કલાકારો ભજન-ધૂનની રમઝટ બોલાવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજક પરિવારના બિમલભાઈ મપારા (મપારા મંડપ સર્વિસ વાળા) દ્વારા અપીલ કરવામાં આવી છે.