કોરોના મુક્તિ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લો: બે દિવસમાં શૂન્ય પોઝિટિવ કેસ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે તથા ગઇકાલે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તમામ ચાર તાલુકાઓમાં કોરોનાવાયરસનો એકપણ સંક્રમિત દર્દી સામે આવ્યો નથી. આ વચ્ચે શનિવારે ભાણવડના એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ મળી, તમામ ચાર તાલુકામાં કુલ 560 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.