સલાયાના રઘુવંશી અગ્રણી દ્વારા મુસ્લિમ ધર્મગુરુનું સન્માન કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને હિન્દુ- મુસ્લિમ બન્ને સમુદાયના લોકોના પ્રિય અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા તથા સેવા કાર્યોમાં સદા અગ્રેસર એવા અબુડાડાનું સલાયાના રઘુવંશી અગ્રણી અને સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મપુરૂષ સલાયા તથા આસપાસના દરેક સમુદાયમાં નોંધપાત્ર લોકચાહના ધરાવે છે. આ પ્રવૃત્તિથી હિન્દુ- મુસ્લિમ એકતાના દર્શન થયા હતા.