ખંભાળિયામાં ગુરુવાર અને શુક્રવારે વીજકાપ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવતીકાલ ગુરુવાર અને શુક્રવારે છ કલાકનો વીજકાપ મુકવામાં આવ્યો છે.

ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈ-વે ઓથોરિટીના હાઈવે રોડની ચાલી રહેલી કામગીરી અંતર્ગત નડતરરૂપ વીજ લાઈનની જગ્યા ફેર કરવાની કામગીરી કાર્યવાહી હેઠળ આવતીકાલે ગુરુવારે સવારે 8:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અહીંના હાઈવે માર્ગ પરના એન.આર.ઈ. એચ.ટી., ગજાનન એચ.ટી., દાલમિયા, સંજયનગર વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ, જે.કે.વી. નગર, અશોક ઉદ્યોગનગર, બેડીયાવાડી, લાલપુર રોડ, સિંહણ ચાર રસ્તા, નવી એ.આર.ટી.ઓ. ઓફિસ, પાંચવાડી જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

આ જ રીતે શુક્રવાર તારીખ 11 ના રોજ ખંભાળિયા ટાઉનના ફીડર નંબર 2 હેઠળના યોગેશ્વર નગર, મહાપ્રભુજી નગર, શ્રીજી સાનિધ્ય સોસાયટી, બજાણા રોડ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, સ્ટેશન રોડ, ધરાનગર વિગેરે વિસ્તારોમાં પણ સવારે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર પીજીવીસીએલ સૂત્રોની યાદીમાં જણાવાયુ છે.