ખંભાળિયા : ઘીના વેપારી મનસુખલાલ બરછાનું અવસાન

જામ ખંભાળિયા: અહીંના જાણીતા વાલજી ખટાઉ (ઘી વાળા) ની પેઢીવાળા સ્વ. કાનજીભાઈ પોપટભાઈ બરછાના પુત્ર મનસુખલાલ (ઉ.વ. 85), તે મનોજભાઈ, જીજ્ઞેશભાઈ તથા નીતાબેન જયેશકુમાર સોમૈયા (રાજકોટ), ભાવનાબેન ચંદ્રેશકુમાર દત્તાણી (જામનગર) અને દિપાબેન અતુલકુમાર મોદી (રાજકોટ) ના પિતાશ્રી તેમજ જીત અને જતીનના દાદા તથા સ્વ. વનરાવનભાઈ અને સ્વ. ભગવાનજીભાઈ (રાજકોટ) ના નાના ભાઈ તથા સ્વ. ગુલાબભાઈ અને હરેશભાઈના મોટાભાઈ તેમજ સ્વ. નૌતમલાલ ડી. ભોજાણી (અમદાવાદ) ના જમાઈ ગુરૂવાર તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી શુક્રવાર તારીખ 11 મી ના રોજ સાંજે પાંચથી સાડા પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.