ખંભાળિયામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત સમારોહનું આયોજન

નામ નોંધણી કાર્ય 31મી માર્ચ સુધી થશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારોહ યોજાશે. જેમાં નામ નોંધણી કાર્યનો પ્રારંભ થયો છે.

ખંભાળિયામાં સમસ્ત રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી તારીખ 26 મે ના રોજ જ્ઞાતિના 19માં સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારોહ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જે અગાઉ 17 મી એપ્રિલના રોજ યોજાનાર હતો, તે ચોક્કસ કારણોસર રદ કરાયા બાદ હવે આ આયોજન ગુરૂવાર તારીખ 26 મેના રોજ થનાર છે. જ્ઞાતિના આગેવાનો, દાતાઓ તેમજ તમામ જ્ઞાતિજનોના સાથ સહકારથી યોજાનાર આ કાર્યક્રમ માટે ફોર્મની નોંધણી તારીખ 31મી માર્ચ સુધી થશે.

આ માટેની વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ મોતા (મો. 9726777675), અધ્યક્ષ જગદીશભાઈ બારોટ (મો. 6354481083), પ્રફુલભાઈ વાસુ (મો. 9099926020) તથા જયંતભાઈ પુંજાણી (મો. 9824042199)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.