દ્વારકા શહેરમાં વન-વે પોઈન્ટ જાહેર કરાયા

(કુંજન રાડિયા)દ્વારકા : આગામી હોળીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીક જામની પરિસ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીંના જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ. પંડ્યાએ કેટલાક “વન-વે પોઈન્ટ” જાહેર કરતું એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામા અંતર્ગત તા.15ના સવારે 6થી તા. 20 સુધી દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને વન-વે પોઈન્ટ તથા જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને પ્રવેશબંધી માત્ર એક્ઝિટ એટલે કે, વન-વે ઝોન જાહેર કરવામાં આવ્યો છે.