હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય દિવસે હર્ષદ ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું

દ્વારકા : આજે હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસે હર્ષદ ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

કલ્યાણપુર તાલુકાના ગાંધવી નજીક કોયલા ડુંગરે હરસિદ્ધિ માતા બિરાજમાન છે. આજે હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસે હર્ષદ ધામ ખાતે માતાનાં દર્શને હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડી હતી. ત્યારે હર્ષદ ધામમાં હરસિદ્ધિ માતાના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.