જગતમંદિરમાં ભૂલી પડેલી બાળકી અને ખોવાયેલ પર્સ શોધી કાઢતી પોલીસ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં ભૂલી પડેલી 6 વર્ષની બાળકી અને એક મહિલાનું ખોવાયેલ પર્સ પોલીસે શોધી આપ્યું હતું.

દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવેલ નિરવભાઈ પી. પંડ્યાની 6 વર્ષની દીકરી મૈત્રી ઉંમર દર્શન કરતી વખતે તેઓથી અલગ પડી ગઈ હતી. તેઓએ તેની દીકરી બાબતે પોલિસને જાણ કરતા A.S.I. એચ. એમ. જોશીએ તપાસ કરાવતા દોઢ કલાકની મહેનત બાદ આ દીકરી મળી આવતા, તેઓના પિતા નિરવભાઈને બોલાવી મૈત્રીને સોંપવામાં આવેલ હતી. આ તકે તેઓએ પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ અને કામગીરીને બિરદાવેલ હતી.

આ ઉપરાંત, દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવેલ પ્રવીણાબા મહેન્દ્રસિંહ ઝાલાનું પર્સ દર્શન કરતી વખતે ગુમ થઈ ગયું હતું. તે બાબતની પોલીસને જાણ થતાં જે બાબતે A.S.I. એચ. એમ. જોશીએ તપાસ કરાવતા પર્સ મળી આવ્યું હતું. તેમાં રોકડ રૂપિયા દસ હજાર તેમજ જરૂરી ડોક્યુમેટ હોય, જે બાબત ની પ્રવીણાબા પાસે ખરાઈ કર્યા બાદ પર્સ તેઓને સોંપવામાં આવેલ હતું. જેથી, પ્રવીણાબાએ પોલીસનો ખુબ ખૂબ આભાર માનેલ અને પોલીસની કામગીરીને ધન્યવાદ આપેલ હતા.