દ્વારકામાં ગુરુવારે દ્વારકાધીશના દર્શને આવશે રાષ્ટ્રપતિ

સુરક્ષા અને વ્યવસ્થાને લઈને મંદિર, પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં ગુરુવારે દ્વારકાધીશના દર્શને રાષ્ટ્રપતિ આવનાર છે. ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને મંદિર, પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું હતું.

દેવભૂમિ દ્વારકામાં આગામી તા. 24ને ગુરુવારે દ્વારકાધીશના દર્શને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે. રાષ્ટ્રપતિ દ્વારકામાં આવવાના હોવાથી પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગઈકાલે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા અને સુરક્ષાને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

વધુમાં, દ્વારકામાં રાષ્ટ્રપતિ આવવાના હોય, પ્રશાસન દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓ કરાઈ હતી. કલેકટર મુકેશ પંડ્યા પણ દ્વારકાધીશ મંદિરે પહોંચી દેવસ્થાન સમિતિની મિટિંગમાં હાજરી આપી હતી.